વડોદરામાં વ્યાજખોરોના ત્રાસથી કટાળી સિક્યુરિટી ગાર્ડનો ફાંસો ખાઇ આપઘાત, સુસાઇડ નોટ મળી

આજવા રોડ પર રહેતા મૃતક યોગેશ પવારના પત્ની-પુત્રી મંગળબજાર ગયા હતા

MailVadodara.com - Vadodara-a-security-guard-tortured-by-usurers-committed-suicide-by-eating-a-trap-a-suicide-note-was-found

- સુસાઈડ નોટમાં લખ્યું- પ્રિય સોનલ-અંકિતા મને માફ કરજો, હું તમને છોડીને જઈ રહ્યો છું, 3-4 લોકો 10% વ્યાજ માટે મારવાની ધમકી આપતા હતા

- યોગેશ પવારના મોતથી પત્ની અને દીકરી પર આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ


વડોદરા પાસે નેશનલ હાઇવે પર આવેલી એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડ યોગેશ પવારે વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. સુસાઈડ નોટમાં કંપનીના સુપરવાઇઝર સહિત 3-4 લોકો 10 ટકા વ્યાજ માગતા હોવાનું અને મારવાની ધમકી આપતા હોવાની વાત લખી છે. મૃતક યોગેશે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, પ્રિય સોનલ આણી અંકિતા મુઝે માફ કરના, મેં આપકો છોડ કે જા રહા હું, બહુત દિનો સે મરને કી કોશિશ કર રહા થા, 10 ટકા વ્યાજ માટે મારવાની ધમકી આપતા હતા, એ લોકોને સજા અપાવજો.

વડોદરાના આજવા રોડ પર આવેલી ઇશ્વરલીલા સોસાયટીમાં રહેતા ગોકુલ ભીમરાવ પવારે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા સાઢુ યોગેશભાઇ સંતોષભાઇ પવાર એલ એન્ડ ટી નોલેજ સિટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેઓ પત્ની સોનલબેન અને દીકરી અંકિતા સાથે આજવા રોડ પર આવેલી મારુતિ હાઇટર્સ ખાતે રહેતા હતા. મારા બીજા સાઢું વિશ્વનાથ પણ તેમની સાથે જ રહે છે. ગઈકાલે 9 મેના રોજ સાંજે પોણા પાંચ વાગ્યે મારી પત્ની અનિતાનો મારા ઉપર ફોન આવ્યો હતો કે, હું સોનલ અને અંકિતા બપોરે 1 વાગ્યે મંગળબજાર ગયાં હતાં. આ સમયે યોગેશભાઇએ ગળેફાંસો ખાઈ લીધો છે. તમે ફટાફટ યોગેશના ઘરે આવો. જેથી હું યોગેશના ઘરે જવા માટે નીકળ્યો હતો અને રસ્તામાં ચાલતી જતી મારી પત્નીને પણ લઈને ત્યાં પહોંચ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં સોસાયટીના લોકો એકત્ર થઈ ગયા હતા અને યોગેશને પલંગમાં સુવડાવેલો હતો અને તે બેભાન હાલતમાં હતો.


મેં સમગ્ર ઘટના અંગે પૂછતા મારા બીજા સાઢુ વિશ્વનાથની દીકરી મેઘાએ જણાવ્યું હતું કે, હું નોકરી પરથી ઘરે આવી તે વખતે ઘરના દરવાજાની લોખંડની જાળી બંધ હતી. જાળી ખોલીને હું અંદર પહોંચી તો મેં જોયું કે, બેડરૂમમાં માસા પંખા સાથે ઓઢણી બાંધીને ગળેફાંસો ખાઇ લીધેલી હાલતમાં હતા. મેં બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેમાં મહેશભાઇ અને બીજા લોકોએ મળીને માસાને નીચે ઉતારી પલંગમાં સુવડાવ્યા હતા અને પલંગ ઉપરથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જે મેં મહેશભાઇને આપી છે.


આ દરમિયાન મહેશભાઇએ 108 એમ્બ્યુલન્સને ફોન કરી દીધો હતો. થોડીવારમાં જ 108 એમ્બ્યુલન્સ આવતા મારા સાઢુને સયાજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ દરમિયાન મહેશભાઇએ મને સુસાઈડ નોટ આપી હતી. જેમાં ભૂરા કલરની પેનથી લખાણવાળું ચોપડાનું લીટીવાળું પાનું મળી આવ્યું હતું. જેમાં યોગેશના હસ્તાક્ષર હોવાનું માલૂમ પડ્યું હતું.

આ ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


મારા સાઢુએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, પ્રિય સોનલ આણી અંકિતા મુઝે માફ કરના, મેં આપકો છોડ કે જા રહા હું, બહુત દિનો સે મરને કી કોશિશ કર રહા થા. લેકિન આપ દોનો કો છોડ કે જાને કી ઇચ્છા નહીં હો રહી થી. ક્યુકી આપ મેરે સે બહુત પ્યાર કરતે થે. લેકિન મૈં ઇસ કાબિલ નહીં, મેરે જાને કે બાદ આપ દોનો કા ખ્યાલ કોન રખેગા, આપ દોનો કા ક્યા હોગા, બહુત હી સુખી સંસાર થા મેરા, લેકીન કંપની કે 3-4 લોગ મેરે પાસ 10 ટકા વ્યાજ સે પૈસા માગ રહે થે. મૈંને હર મહિને ઉનકો વ્યાજ દિયા, સિર્ફ એક મહિને વ્યાજ નહીં દીયા તો ઘર આને કી ઔર મારને કી ધમકી દે રહે થે. ઉસમે એક સુપરવાઇઝર પ્રકાશ હૈ ઔર દુસરે ભરવાડ હૈ.

સબસે જ્યાદા કાલુ તો લકુલેશ મેં રહેતા હૈ, વો ભી બહુત પરેશાન કર રહા થા. ઔર ઉજ્જ્વલ પટેલ ભી હૈ, ઇન સબ કા નંબર મોબાઇલ મેં હૈ, પુલીસવાલો સે વિનંતી હૈ કી ઇન સબ કો એસી સજા મિલની ચાહિએ કી દુબારા કિસી કી જાન ના જાએ. બહુત પરેશાન કર રહે થે મુઝે, મુઝે યે સબ લોગ. સોનલ-અંકિતા મુઝે માફ કરના. આપ દોનો કો છોડ કે જા રહા હૂં, લેકીન મેરે જાને કે બાદ ઇનકો છોડના મત, પૈસા માંગનેવાલે. By- પ્રકાશ- LNt સુપરવાઇઝર, કાલુ-લકુલેશ, ઉજ્જ્વલ પટેલ, ભરવાડ-3 LNt, છોડના મત.

Share :

Leave a Comments