આજવા સરોવરથી નિમેટા તરફ આવતી ફિડર લાઇનનું ૨૩મીએ રિપેરિંગ કરાશે, 5 લાખ લોકોને પાણી નહીં મળે

વડોદરા કોર્પોરેશન દ્વારા જરૂરીયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા જાહેરાત

MailVadodara.com - The-feeder-line-coming-from-Ajwa-Sarovar-to-Nimeta-will-be-repaired-on-23rd

- તા.23ના રોજ રીપેરીંગ કરવાની હોવાથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારના પાંચ લાખ લોકોને બપોરનું અને સાંજનું તથા તા.24નું સવારનું પાણી નહીં મળે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજવા સરોવરથી નિમેટા પાણી શુધ્ધિકરણ પ્લાન્ટ સુધી આવતી 36 ઇંચ ડાયા મીટરની ફીડર લાઈન તારીખ 23ના રોજ રીપેરીંગ કરવાની હોવાથી પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં તે દિવસે આશરે પાંચ લાખ લોકોને બપોરનું અને સાંજનું તથા તારીખ 24નું સવારનું પાણી નહીં મળે. તા.23ના રોજ રીપેરીંગ કામ સવારે 8 કલાકથી શરૂ થશે જે બીજે દિવસે તા.24 ની સવારે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે. આના કારણે પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પાણીની ટાંકીઓ જેમકે સયાજીપુરા ટાંકી, નાલંદા, પાણીગેટ, ગાજરાવાડી, બાપોદ, લાલબાગ ટાંકી તથા સોમા તળાવ બુસ્ટર, સંખેડા દશાલાડ, નંદધામ, મહેશનગર બુસ્ટર, દંતેશ્વર અને મહાનગર બુસ્ટર ખાતેથી પાણી મેળવતા વિસ્તારોને પાણીનો કકડાટ ભોગવવો પડશે.

પાણી વિતરણના આ ઝોનનું તા.23ના રોજનું બપોર તથા સાંજના ઝોનનું પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં. તા.24ના રોજ સવારના ઝોનમાં પાણીનું વિતરણ કરવામાં આવશે નહી. જ્યારે સાંજના ઝોનમાં હળવા દબાણથી અને ઓછા સમય માટે પાણીવિતરણ કરવામાં આવશે. આ અંગે મળતી વિગતો અનુસાર રવાલ ગામ પાસે પાણીની લાઈનમાં લીકેજ થયું છે. આ લીકેજ બંધ કરવા મહત્તમ કોશિશ કરાવવામાં આવી છે. જે પાઇપ ડેમેજ થઈ છે, તેનો ભાગ બદલીને 50 મીટર પાઇપ નવી નાખવામાં આવી છે. 50 મીટર પાઇપ બ્રિજ નીચેના ભાગમાં નાળુ ક્રોસ કરી નાખવામાં આવી છે. કામગીરી ચાલુ કરતાં પહેલાં આખી લાઈન ખાલી કરવામાં આવશે. જેથી કરીને વેલ્ડીંગમાં કોઈ તકલીફ ન પડે. લાઈન ખાલી કર્યા બાદ નવા જોઈન્ટ કરેલા પાઇપ પર અંદર બહાર વેલ્ડીંગ કામ કરાશે. આ કામગીરી લાંબી ચાલશે.

Share :

Leave a Comments