વડોદરામાં આજે નાડીયા સમાજ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા, રક્તદાન શિબિરનું આયોજન કરાયું

સાંઇબાબાના મંદિર ખાતે સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું

MailVadodara.com - Satyanarayana-Bhagwan-Katha-blood-donation-camp-organized-by-Nadia-Samaj-in-Vadodara-today

વડોદરામાં આજે અક્ષયતૃતિયા તથા પરશુરામ જયંતિના શુભ પાવન અવસરે નાડીયા સમાજની અધ્યક્ષતામાં શ્રી સાંઇનાથ સેવા સંઘ દ્વારા શહેરના બકરાવાડી ખાતે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, સાથે રક્તદાન શિબિર તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.


આજે અક્ષયતૃતિયા તથા પરશુરામ જયંતિના શુભ પાવન અવસરે શહેરના બકરાવાડી ખાતે વડોદરા નાડિયા સમાજની આગેવાની હેઠળ શ્રી સાંઇનાથ સેવા સંઘ દ્વારા સાંઇબાબાના મંદિર ખાતે સવારે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું ત્યારબાદ અહીં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો-યુવતીઓએ રજીસ્ટ્રેશન કરાવી રક્તદાન કર્યું હતું. સાથે સાથે અહીં સાંજે મહાઆરતી બાદ મહાપ્રસાદીનું (જાહેર ભંડારાનું) આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે નાડીયા સમાજના વડોદરા શહેરના ઉપપ્રમુખ કમલેશભાઈ પરમાર તથા શ્રી સાંઇનાથ સેવા સંઘના મંત્રી અંકિત પરમાર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.


Share :

Leave a Comments