વડોદરા પાલિકાના પેન્શનરો-ફેમીલી પેન્શનરોને પોતાની હયાતીની ખાતરી કરાવી જવા સૂચના

આવકવેરો ભરતા પેન્શનરોએ પાનકાર્ડની નકલ તથા રોકાણો કર્યાના પુરાવા આપવા પડશે

MailVadodara.com - Notice-to-Vadodara-Municipality-pensioners-family-pensioners-to-ensure-their-survival

- પેન્શનરોને 17 એપ્રિલ થી 16 મે સુધીનો સમય અપાયો

- કોર્પોરેશનમાં આશરે 8 હજાર જેટલા પેન્શનરોને દર મહિને 15 કરોડથી વધુ પેન્શન ચૂકવાય છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગેસ ખાતા સહિતના પેન્શનરોને ૨૦૨૩ના વર્ષ માટે પેન્શનરો અને ફેમીલી પેન્શનરોને પોતાની હયાતીની ખાતરી કરાવવા સૂચના આપવામાં આવી છે. પેન્શનરોએ પુનઃ લગ્ન પણ નથી કર્યા તે અંગે કોર્પોરેટર અથવા સરકારી ગેઝેટેડ અધિકારીનું પ્રમાણપત્ર રજુ કરવા, ફેમીલી પેન્શન મેળવતા વારસદાર પુત્ર-પુત્રી-માતા-પિતા તેમજ વિકલાંગોએ માસિક આવકનું સર્ટિફિકેટ રજુ કરવાની પણ સૂચના અપાઈ છે. જેઓએ પેન્શન નંબર અને ઠરાવ સાથે વડોદરા કોર્પોરેશનના હિસાબી શાખાના પેન્શન વિભાગમાં તા.17 એપ્રિલ થી 16 મે સુધીમાં સંપર્ક કરવા જણાવ્યું છે. 

ચાલુ વર્ષે હયાતી અંગેની ખાતરી બાયોમેટ્રીક પદ્ધતિથી પણ કરવાની હોવાથી પેન્શનરોને ઓળખના પુરાવા તરીકે તેમની બેંક પાસબુક, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ પાન કાર્ડ પણ સાથે લાવવા કહ્યું છે. જે પેન્શનરોનું બાયોમેટ્રીક કરાવવાનું બાકી છે તેવા તમામને આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો પુરાવો (જન્મનો દાખલો, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, પાસપોર્ટ, સીવીલ સર્જનનું સર્ટીફિકેટ) અચુક રજુ કરવાનું રહેશે. આવકવેરો ભરતા પેન્શનરોએ પાનકાર્ડની નકલ તથા જે રોકાણો કર્યા હોય તેની પુરાવા સાથેની વિગતો પણ આપવાની રહેશે.

વડોદરા શહેર બહાર રહેતા પેન્શનરો અને ફેમીલી પેન્શનરોને પણ તેમની હયાતીની ખાતરી કરાવી જવા કહ્યું છે. જો ઉકત મુદત દરમ્યાન હયાતીની ખાતરી નહી કરાવવામાં આવે તો પેન્શન ચુકવવા નિયમોનુંસાર કાર્યવાહી કરવામાં આવશે, તેમ કોર્પોરેશન દ્વારા જણાવ્યું છે. વડોદરા કોર્પોરેશનમાં ગેસ ખાતા સહિત અંદાજે 8000 પેન્શનરો છે, જેઓને મહિને 15 કરોડથી વધુ પેન્શન ચૂકવવામાં આવે છે.

Share :

Leave a Comments