કવાંટમાં ચૂંટણીમાં થયેલા ઝઘડાની અદાવતે બે શખ્સોએ પૂર્વ સાંસદના ભત્રીજાની ગોળી મારી હત્યા કરી, એક ઝડપાયો

ગ્રામ પંચાયતમાં થયેલી બબાલની અદાવતમાં ગામના જ બે શખ્સોએ હત્યા કરી

MailVadodara.com - Ex-MP-nephew-shot-dead-by-two-men-one-nabbed-in-Kawant-after-election-dispute

- મૃતક કુલદીપ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું, પૂર્વ સૈનિક શંકર રાઠવાએ અન્ય એક શખ્સ સાથે મળી ગોળી


છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ગત મોડી રાત્રે ફાયરિંગ કરીને એક યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી હતી. જેમાં મરણ જનાર વ્યક્તિ પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો હોવાનું સામે આવ્યું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં થયેલી બબાલની અદાવત રાખીને ગામના જ બે શખ્સોએ કુલદીપ પર ફાયરિંગ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે હાલ ફરાર આરોપીઓમાંથી એક શંકર સનજી રાઠવાની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય એક હજી પોલીસ પકડથી દૂર છે. પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પિપલદી ગામે ગત મોડીરાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં ફાયરિંગ કરીને એક યુવકને મોતને ઘાટ ઉતરવાની ઘટના સામે આવી હતી. જેમાં પૂર્વ સંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ રાઠવાની બંદૂકની ગોળી મારી ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ સાંસદ અને ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંગભાઈ રાઠવા સાથે ગત ગ્રામ પંચાયત ચૂંટણીમાં ગામના જ પૂર્વ સૈનિક શંકરભાઈ સનજીભાઈ રાઠવા સાથે ઝઘડો થયો હતો.

મૃતકના ભાઈ રાજપાલ રાઠવાએ જણાવ્યું હતું કે, ગઈકાલના રોજ રાત્રે 9.50ની આજુબાજુ શંકરભાઈ રાઠવા અને અમલા રાઠવા બે જણા બાઈક પર આવીને મારા ભાઈને બંદુકની ગોળી મારીને ભાગી ગયા હતા. અગાઉ સરપંચની ચૂંટણીમાં બે વાર પહેલા હારી ગયો હતો એટલે અમને ધમકી આપીને ગયો હતો કે, તમને જીવવા નહીં દઉં. તે મારવાના ઈરાદાથી જ આવ્યો હતો.


ગઈકાલે રાત્રે લગભગ પોણા દસ વાગ્યાના અરસામાં શંકર સનજીભાઈ રાઠવા અને અમલા રેવજીભાઈ રાઠવા બાઈક ઉપર આવ્યા હતા. શંકરભાઈ પાસે રહેલી બંદૂક વડે કુલદીપભાઈ રાઠવા ઉપર ફાયરિંગ કરતા કુલદીપ રાઠવાને પેટના ડાબી બાજુએ ગોળી વાગી હતી. આ ફાયરિંગનો અવાજ ગામમાં સાંભળાતા લોકોએ રોકો રોકો બૂમો પાડી હતી. નજીકમાં જ કુલદીપ રાઠવાના નાના ભાઈએ પણ અવાજ સાંભળ્યો હતો અને બહાર આવીને જોતા બાઈક પર સવાર અમલા રાઠવા અને શંકર રાઠવાને જોયા હતા અને તેઓ અમે છે કહીને આગળ નીકળી ગયા હતા.


પેટ પર ગોળી વાગાતા કુલદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની કવાંટ પોલીસને જણા થતાં કવાંટ પોલીસે બંને આરોપીઓ શંકર સનજીભાઈ રાઠવા તથા અમલા રેવજીભાઈ રાઠવાની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર આરોપીઓમાંથી એક શંકર સનજી રાઠવાની પોલીસે અટકાયત કરીને પુછપરછ હાથ ધરી છે. જ્યારે અન્ય એક હજી પોલીસ પકડથી દૂર છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કવાંટ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરા લઈ જવાયો છે.

Share :

Leave a Comments