વડોદરામાં લોકશાહી બચાવોના નારા સાથે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નેતાઓ અને કાર્યકરોની અટકાયત

કોંગ્રેસ દ્વારા વડોદરામાં વિરોધ પ્રદર્શન, મોંઘવારી અને બેકારીના મુદ્દા ઉઠાવ્યા

MailVadodara.com - Congress-protests-in-Vadodara-with-slogans-of-defending-democracy-arrest-of-leaders-and-workers


શહેરમાં આજે કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવોના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન પોલીસ આવી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા મોદી અંગેના વિવાદાસ્પદ ભાષણ અંગે બે વર્ષની સજા સંભળાવવામાં આવ્યા બાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રે પ્રમુખ ઋત્વિજ જોશી, કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા અમી રાવત, કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત અને કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુ સહિત કોંગ્રસના કાર્યકરો દ્વારા મૌન ધરણાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે ધરણાની મંજૂરી આપી ન હોવાથી આ તમામની અટકાયત કરવામાં આવી હતી.


આ ધરણાં દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કહ્યું હતું કે, દેશમાં લોકશાહી ખતરામાં છે. લોકશાહીની સાચી વ્યાખ્યાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આજે આપ જોઈ શકો છો કે, બેકારી અને મોંઘવારી સાથે ગુજરાતમાં સરકારી ભરતીમાં પેપર લીક થાય છે. વડોદરામાં પ્રજાને વેરાનું વળતર નથી મળી રહ્યું. આજે વિધાનસભા અને લોકસભામાં કોંગ્રેસની વાત સાંભળતા નથી. અમારા આ ધરણમાં મૌન ધરણાં છે અને આજે લોકશાહી બચાવવા માટેના ધરણાં કરવામાં આવ્યા છે. અમારા નેતા રાહુલ ગાંધી કન્યાકુમારી થી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી જેનાથી ભારતીય જનતા પાર્ટી બગોવાઈ ગઈ છે. સત્યનો હંમેશા વિજય થાય છે.


Share :

Leave a Comments