ડો. ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભાજપ કાર્યાલયથી રેલી યોજાઇ

MailVadodara.com - A-rally-was-held-from-BJP-office-on-the-occasion-of-Dr-Bhimrao-Ambedkar-birth-anniversary


ભારતના બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજયંતિ નિમિત્તે શહેર ભાજપ કાર્યાલય સયાજીગંજ ખાતેથી આજે વહેલી સવારે રેલી યોજાઇ હતી. આ રેલી અલકાપુરી આંબેડકર સર્કલ નજીક રેલી પહોંચતા ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ રેલીમાં મેયર નિલેશ રાઠોડ, વિધાનસભા દંડક અને ધારાસભ્ય બાળુ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુર રોકડિયા, પૂર્વ મેયર સુનિલ સોલંકી સહિત ભાજપના અગ્રણી પદાધિકારીઓ અને કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.


Share :

Leave a Comments