ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રોડ 29 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

29મી સપ્ટેમ્બર સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો

MailVadodara.com - The-road-from-Bhimpura-three-roads-to-Sindhrot-four-roads-will-remain-closed-till-September-29

- ગોત્રી-સેવાસી-સિંધરોટ રોડ પર થીન વ્હાઈટ ટોપિંગ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરાતા રોડ બંધ કરવામાં આવ્યો

વડોદરા જિલ્લામાં ગોત્રી-સેવાસી-સિંધરોટ રોડ પર થીન વ્હાઈટ ટોપિંગ દ્વારા રોડના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભીમપુરા ત્રણ રસ્તાથી સિંધરોટ ચાર રસ્તા સુધીનો રોડ તારીખ 29મી સપ્ટેમ્બર 2024 સુધી વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.

વૈકલ્પિક રસ્તા ઉપયોગમાં લેવાનો આદેશ

(1) વડોદરાથી આણંદ, અનગઢ, કોટણા જવા માટે ભીમપુરા ગામથી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.

(2) આણંદ, અનગઢ, કોટણાથી વડોદરા જવા માટે સિંધરોટ ચાર રસ્તા કોયલી તરફ વળી શેરખી જવાના રસ્તાનો ઉપયોગ કરી શકાશે.

(3) સિંધરોટ ગામના સ્થાનિક લોકો માટે ગામમાં જવા તથા આવવા માટે કામગીરી દરમિયાન એન્ટ્રી તથા એક્ઝિટ પોઇન્ટ છોડવામાં આવશે.

વડોદરા જિલ્લા કલેક્ટરના જાહેરનામાનાં કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Share :

Leave a Comments