આરટીઇ પ્રવેશ માટે વાલીઓએ પાનકાર્ડની વિગતો આપવી પડશે, 10મી એપ્રિલથી ફોર્મ ભરી શકાશે

શહેરમાં 341 સ્કૂલોમાં 4400 બેઠકો પર ધો.-1માં આરટીઇ હેઠળ પ્રવેશ અપાશે

MailVadodara.com - Parents-have-to-provide-PAN-card-details-for-RTE-admission-form-can-be-filled-from-10th-April

- આઇટી રિટર્ન ન ભરતા હોય તો વાલીઓએ સેલ્ફ ડીકલેરેશન રજૂ કરવું પડશે

આરટીઇ એક્ટ અંતર્ગત ધોરણ-1 માં પ્રવેશ માટે 10 એપ્રિલથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વાલીઓ 22 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ વખતે વાલીઓએ પાન કાર્ડની વિગતો આપવી પડશે. આઇટી રીર્ટન ના ભરતા હોય તો સેલ્ફ ડીકલેરેશન કરવું પડશે. 

શહેરમાં 341 સ્કૂલોમાં 4400 બેઠકો પર ધોરણ 1 માં આરટીઇ હેઠળ પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ વર્ષે 600 બેઠકોમાં વધારો થયો છે. ગત વર્ષે 3700 જેટલી બેઠકો હતી.વાલીઓને આરટીઇના પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે 9 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

તા. 9 એપ્રિલ સુધીમાં વાલીઓએ જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે, જન્મ તારીખનો દાખલો, રહેઠાણના પુરાવા, જાતિનો દાખલો, આવકનો દાખલો તથા ઈનકમટેક્સ રિટર્ન એકત્ર કરી રાખવાના રહેશે. ડોક્યુમેન્ટ એકત્ર કરી લીધા બાદ 10 એપ્રિલથી વાલીઓ આરટીઇમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે વાલીઓને 13 દિવસનો સમય મળશે. તા.23 એપ્રિલથી જિલ્લા કક્ષાએ અરજીઓની ચકાસણી કરી મંજૂર તથા નામંજૂર કરવામાં આવશે.

અરજી નામંજૂર થઈ હશે તેમને ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તક અપાશે. જેમાં વાલીઓ 25 એપ્રિલથી 27 એપ્રિલ દરમિયાન ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે. આ ડોક્યુમેન્ટની જિલ્લા કક્ષાએ 29 એપ્રિલ સુધીમાં ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. વડોદરા શહેરમાં 341 સ્કૂલોમાં 4400 બેઠકો પર ધોરણ 1 માં આરટીઇ હેઠળ પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments