વડોદરામાં બેંક મેનેજરની ઓળખાણ આપી બે શખસે 23 તોલા સોનું અને 40 લાખ સગેવગે કરી છેતરપિંડી

ગોરવા રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા અનોપસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી

MailVadodara.com - In-Vadodara-two-persons-cheated-23-tolas-of-gold-and-40-lakhs-by-impersonating-a-bank-manager

- માંજલપુર પોલીસે લાખો રૂપિયાની છેતરપિંડી આચરનાર ભેજાબાજ વિશાલ ગજ્જર અને અજય પઢિયાર સામે ગુનો દાખલ કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા

વડોદરાના ગોરવા વિસ્તારની પંચવટી સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટરને ખાનગી બેંકના ગોલ્ડ મેનેજર હોવાની ઓળખ આપી મારે ટાર્ગેટ પૂરો કરવાનો છે જેથી તમારી પાસે સોનું હોય તો આપો. જેથી રૂપિયા 10.31 લાખનું 23 તોલા સોનું આપી ફરિયાદીએ બેંકમાં જઈને તપાસ કરતા પિતાના નામે કોઈ લોન થઈ ન હોવાનું સામે આવ્યું હતું. સાથે ગોરવાના મકાન પર લોન કરી 40 લાખ રૂપિયા બારોબાર લક્ષિત ટ્રેડર્સમાં ટ્રાન્સફર કરાવી સગેવગે કરી નાખી છેતરપિંડી આચારી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાઇ છે.

ગોરવા રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા અનોપસિંહ મહાવીરસિંહ જાડેજા ઈલેકટ્રીક કોન્ટ્રાકટર છે. તેઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા મારા મિત્ર હિમાંશુએ મારી ગોલ્ડ લોન બજાજ ફાયનાન્સમાં ચાલતી હતી. સાથે અન્ય બેંકમાં લોન ટ્રાન્સફર કરાવવી હોય તો વિશાલ સાહેબ છે તેમને ફોન કરી મળી આવજો. જેથી હું ફોન કરીને વિશાલભાઈને મળવા બેંકમાં ગયો, ત્યારે વિશાલ જયંતિભાઈ ગજ્જરે કેનેરા બેંક માંજલપુર શાખામાં ગોલ્ડ મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતુ. જેથી મે ગોલ્ડ લોન જે બજાજ ફાયનાન્સમાં ચાલતી હતી. તે કલોઝ કરાવી કેનેરા બેંકમાં ગોલ્ડ લોન કરાવી હતી. ગત ઓક્ટોબર મહિનામાં વિશાલે મને ફોન કરીને જણાવ્યું હતું કે, મારે ગોલ્ડ લોનનો ટાર્ગેટ પુરો કરવાનો છે. જેથી તમારી પાસે સોનું હોય તો ગોલ્ડ લોન કરવા મને આપો. હું તમને થોડા દિવસમાં પરત આપી દઇશ તેવી હકીકત જણાવતા મેં 23.1 તોલા વજના સોનાના દાગીના રૂપિયા 10.35 લાખ વિશાલ ગજ્જરને લોન કરાવવા માટે બેંકમાં જઈને આપ્યા હતા.

ત્યારબાદ નવેમ્બર મહિનામાં વિશાલ ગજ્જર ભાગી ગયો હતો. જેથી મેં કેનેરા બેંક માંજલપુર શાખામાં તપાસ કરતા મને જાણવા મળ્યું હતું કે, સોનાના દાગીનાની મારા નામે કોઇ લોન થઈ નથી કે મારા એકાઉન્ટમાં લોનના રૂપિયા પણ આવ્યા નથી. બે સોનાની ચેઇન મુકી કેનેરા બેંકમાં ગોલ્ડ લોન લીધી છે. આ સોનાની ચેઇન મારી નથી કે મે લોન લીધી નથી. મારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલાનું મને પાછળથી જાણવા મળ્યું છે.

આ સિવાય માટે ગોરવા વિસ્તારમાં મકાને સી/72 પંચવટી સોસાયટી ગોરવા રોડ વડોદરા ખાતે આવેલું હોય તે મકાનની લોનના ફોર્મમાં, કોરા વાઉચર, કોરા કાગળમાં વિશાલ ગજ્જર અને અજય પઢીયારએ મારી પાસે PNB બેંકમાં સહીઓ કરાવી લોન એપ્રુવ થતા લોનના રૂપિયા 40 લાખ લક્ષિત ટ્રેડર્સમાં ટ્રાન્સફર કરાવી તેને સગેવગે કરી વાપરી નાખ્યા છે. છેતરપિંડીમાં બેંકના કર્મચારીઓની સંડોવણી હોવાની મને આશંકા છે. પોલીસે વિશાલ ગજ્જર અને અજય પઢિયાર સામે ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments