રીસર્ફેસીંગની કામગીરીને પગલે લાલબાગ રેલવે ઓવર બ્રિજ કાલથી તબક્કાવાર બંધ રહેશે

શહેર પોલીસ કમિશનરે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું

MailVadodara.com - Following-resurfacing-work-Lalbagh-Railway-Over-Bridge-will-be-closed-in-phases-from-tomorrow

- લાલબાગ બ્રિજ પર સ્ક્રેપિંગ કરીને બિટયુમિનશ કોંક્રિટ વર્ક કરવામાં આવશે

- જાહેરનામા અંતર્ગત તા.23 મે થી તા.6 જૂન સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી

વડોદરાના લાલબાગ રેલવે ઓવર બ્રિજ ઉપર રીસર્ફેસીંગની કામગીરી તબક્કાવાર કરવામાં આવનાર છે. જેના કારણે આ રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે. કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ ઉપરથી અવર-જવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના તેમજ શહેરીજનોને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી શહેર પોલીસ કમિશનરે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા અંતર્ગત આવતીકાલે તા.23 મે થી તા.6 જૂન સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી લાલબાગ રેલવે ઓવર બ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવ્યા છે.

જે અતંર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તા તરફ અવર-જવર કરતા તેમજ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર થઈ, મોતીબાગ તોપ અવર-જવર કરતા ફોર વ્હીલર, થ્રી વ્હીલર તેમજ ટુ-વ્હીલર વાહનો માટે આ રૂટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે સુશેન સર્કલથી લાલબાગ બ્રિજ તરફ અવર-જવરનો રસ્તો ભારદારી વાહનો અને એસ. ટી. બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, હાલ કોર્પોરેશન દ્વારા વડસર ઓવરબ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નવાયાર્ડ ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે, જે તા.૨૮ના રોજ પૂર્ણ થશે. લાલબાગ બ્રિજ પર હાલ પડ ઉપર પડ ચડી ગયા છે, જે સ્ક્રેપિંગ કરીને બીસી (બિટયુમિનશ કોંક્રિટ) વર્ક કરવામાં આવનાર છે.

Share :

Leave a Comments