માણેજામાં ગાયના હુમલામાં વૃદ્ધાના મોત બાદ પરિવાજનોએ વળતર માંગ્યું

રૂ.૨૫ લાખના વળતર માટે ગૌપાલક અને મ્યુ. કમિશનરને નોટિસ પાઠવી

MailVadodara.com - After-the-death-of-an-old-man-in-a-cow-attack-in-Maneja-the-family-demanded-compensation

વડોદરા ના માણેજામાં ગાયે મહિલા પર હુમલો કરતાં   મહિલા નું  મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોએ રૂ.૨૫ લાખનું વળતર માગ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અને ગાય માલિકને નોટિસ ફટકારવામાં આવી છે.


   માણેજા ની  પંચરત્ન સોસાયટી નજીક રહેતા ગંગાબેન પરમાર ને ગાયે અડફેટમાં લીધા હતા. ગંભીર ઇજાઓ થતા ગંગાબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.વૃદ્ધ ગંગાબેનનું  મોત નીપજતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપ્યો હતો. 

આ દરમ્યાન ગંગાબેનના વારસદાર પુત્ર જગદીશ પરમાર તથા પુત્રી નીરૂબેન  એ  એડવોકેટ અલ્પેશ ચૌહાણ મારફતે ગૌપાલક અને મ્યુનિસિપલ કમિશનર પાસે વળતરની માંગણી કરી હતી.  પરિવારજનો ૬૦ દિવસમાં  રૂપિયા  25 લાખનું વળતર ચૂકવવાની નોટિસ આપી છે જો આ વળતર નહીં ચૂકવવામાં આવે કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવશે તેમ એડવોકેટ અલ્પેશ ચૌહણે જણાવ્યું હતું.

Share :

Leave a Comments